કલમ ૮ -કોઈપણ જીવ પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્ માત્ર પણ અવણવાદ, અપરાધ, અવિનય ન કરાય..
BACK

ટીવી જોતાં, રમત રમતાં, મિત્રો સાથે
ટોળ-ટપ્પણી કરતાં કે બીજી કોઈપણ
પરિસ્થિતિમાં વ્યક્તિઓ વિષે કંઈક ને કંઈક
અભિપ્રાય બંધાઈ જાય છે. મોટેભાગે આ
અભિપ્રાય અને એને આધારિત વાણી
નકારાત્મક હોય છે. આમાંની અમુક
વ્યક્તિઓ તો હયાત પણ હોતી નથી. વળી,
ઘણી ખરી વ્યક્તિઓ જેવી કે દેશ-વિદેશના
નેતા, અભિનેતા/અભિનેત્રી, રમતવીરો
વગેરે જેને આપણે ક્યારેય મળ્યા પણ ન
હોઈએ, આપણી પાસે તેમની કોઈ વ્યક્તિગત
જાણકારી પણ હોતી નથી, છતાં તેમના ઉપર
બેફામપણે દોષારોપણ થઈ જતું હોય છે. આ
ઉપરાંત નજીકની વ્યક્તિઓ, સગા-સંબંધી,
મિત્રો, શિક્ષકો વગેરે માટે પણ તેમની
ગેરહાજરીમાં નિંદા-કૂથલી થઈ જતી હોય છે.
આને કળિયુગનો પ્રભાવ કહો કે મનુષ્યનો
પ્રાકૃતિક દુર્ગુણ, પણ નાનાથી લઈને મોટી
ઉમરના ં સહુના વ્યવહારમાં આ એક કુટેવ
બહુ સામાન્યપણે જોવા મળે છે.
મિત્રો, નવાઈની વાત તો એ છે કે
આવું અવિરત ચાલ્યા જ કરતું હોય છે અને
અજાણતાં જ આપણે આવતા ભવ માટે
અધોગતિના બીજ દિવસ-રાત રોપી દેતાં
હોઈએ છીએ ! અક્રમ યુથના આ અંકમાં પરમ
પૂજ્ય દાદા ભગવાને આપેલી નવ કલમોમાંની
આઠમી કલમ માટે વિસ્તૃત સમજણ મેળવીએ.
જેથી કરીને આવી ભૂલો ક્યાં-ક્યાં થાય છે, તે
આપણી દૃષ્ટિમાં આવે અને આ કુટેવમાંથી
બહાર નીકળી શકાય, તે માટે શક્તિઓ
માંગીએ.